સમીર ઘરે આવી ગયો . આખો દિવસની દોડધામ અને મેહનત ને મજૂરી કહો તો મજૂરી કેમકે પૈસા કમાવવા મજૂરી તો કરવી જ પડે છે પછી ભલે એ શારિરીક હોય કે માનસિક પણ મજૂરી તો કરવી જ પડે છે . સમીર પણ એવી જ મજૂરી કરી થકી થાકી ઘરે આવી ગયો ..
એની દીકરી રીંકલ હજી ખુરશીમાં બેઠી હતી . એ એની જ રાહ જોતી હતી . એ સુનમુન હતી . સમીર સમજી ગયો કે હજી સુધાની તબિયત ખરાબ જ છે . હજી એ સારી નથી થઈ . હજી એ બીમાર જબછે એ જોઈ સમીર ખિન્ન થઈ ગયો ને કંઈક ઉદાસ પણ બની ગયો . કેમકે ઘરમાં કોઈ બીમાર હોય ને એ પણ ઘરનું મુખ્ય કામ કરનારું હોય રો ખૂબ જ અગવડ પડે છે ને ? આવા સમયે જ એની મહતા આપણને સમજાય છે . અનુરાધા આ રીતે બીમાર પડી જશે તો આટલી તકલીફ પડશે એ સમીરે વિચાર્યું નોહતું .
અનુરાધા ત્રણ દિવસથી માંદી હતી . ને ઘરની પુરી જવાબદારી સમીર પર આવી ગયુ હતી . રીંકલ ને તૈયાર કરી શાળાએ મોકલવી . એને લેવા જવી .. ને આ રસોઈ ને પેલુ....કેટલું કામ હોય છે એ ઘરમા એને આજે ખબર પડી . નહિતર એને તો એમ જ હતું જે આ ને ઘરે કામ હોય શુ ?
પણ હવે એને ખબર પડી કે કેટલું બધું અને કેટકેટલું કામ હોય છે ? કેટલું કામ કરવું પડે ? એક હજુ માંડ પૂરું કરો ત્યાં બીજા ચાર રાહ જોતા ઉભા જ હોય ! ખરેખર સ્ત્રી ને ધન્યવાદ આપવા જોઈએ કે આ આ બધું સાંભળી સંભાળી ને ઘર ચલાવે છે .
' શું થયું ? '
' કઇ નહીં ....! '
' ચિંતા ન કરો ....'
' હા....! ' ને એ ફ્રેશ થઈ ગયો....
પરત આવી એ રસોઈની તૈયારી કરવા લાગ્યો . એવું નોહતું કે એ કામવાળી રાખી ન શકે પણ એ પોતાની દીકરી ને અન્યના હાથનું એક બટકું પણ ખાવા દેવામાં માનતો નોહતો ..એટલે જ એ પોતે જ રસોઈ બનાવી લેતો .
એ રસોઈ બનાવવા જતો જ હતો..ત્યાં
' સાંભળો ....! '
' હા ...! '
' આ કાગળ આવ્યો છે ! '
' ક્યાંથી ? '
' ઇયાથી ! '
ને સમીર ઘડીભર તો ખચકાય ગયો . એ અનુરાધા સામે જોઈ રહ્યો . એનાં હાવભાવ બદલાઈ ગયા . એ કઈક વિચારી રહ્યો ને અચાનક એનો હાવભાવ કોઈ અકળ ભાવ થી એ જોઈ રહ્યો ....ને ત્યાં જ અનુરાધા બોલી ..
' એક વાર વાંચી તો લો ! વાંચવામાં શુ જાય છે ? '
' ઠીક છે તું કહે છે તો...એક વાર વાંચી લવ છું ! '.
ને કાગળ લઈ સમીર ખુરશીમાં બેસી ગયો . ...પત્ર આમ હતો....
' સમીર .
વ્હાલા શબ્દ લખવાનો વિચાર આવ્યો પણ તને એ દેખાડો લાગશે...પણ આજે હું કોઈ સારું લગાડવા આ પત્ર નથી લખી રહ્યો પણ એક આંતરવેદના થી આ લખી રહ્યો છું .
આમ તો આપણો સંબંધ પૂરો થયો એને દસ વર્ષ થઈ ગયા . જોકે આ સબંધ એમ કઈ પૂરો થાય એમ નથી . તું મારો દીકરો છે એ હકીકત કંઈ થોડી બદલાઈ જવાની છે એ તો હંમેશા રહેશે જ કે તું મારો દીકરો છે ને હું મારો પિતા .
સમય અને સંજોગનાં કારણે આપણે અલગ થયા એ અલગ વાત છે પણ આજે વાત માનવતાની છે . તારી દાદી ખૂબ જ બીમાર છે . એ તને મળવા લાગે છે . હવે તું અહીં આવી જા ને એકવાર તારી દાદી માં ને મોઢું બતાવી જા . ભાઈ... !
ને હું પણ તને મળવા માંગુ છું ..
વધુ તો શું લખું.. બસ દાદીમા તારી રાહ જુવે છે !
આવી જા ...ભાઈ..... '
ને સમીર કાગળ વાંચતા જ દસ વરહ પહેલાના સમયમાં ખોવાય ગયો . ત્યારે હજી એ અનુરાધા ને પરણી ને લાવ્યો જ હતો ને ? ભૂલ ફક્ત એ હતી કે એણે એની ગમતી છોકરી ને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી હતી . એ હતી અનુરાધા . જે એનાં પિતાને પસંદ નોહતી આવી .પણ હવે તો લગ્ન થઈ ગયા હતા . હવે તો બસ એ જ હકીકત સ્વીકારવી પડે એમ હતી . શરૂ શરૂ માં તો બધું બરાબર ચાલ્યું . પણ પછી ઝઘડા શરૂ થયા .
એક ચા માંથી , એક પાણીના પ્યાલા માંથી , એક કુકરની સીટી માંથી , એક વાર ગરમ કરવાના પાણી માટે કે પછી શાકભાજી માંથી ગમે ત્યારે સમીરના પિતા અનુરાધા ને વાંકમાં લઈ ખખડાવી નાખતા . ને અનુરાધા આંખો દિવસ એ સાંભળતી રહેતી . ધીમે ધીમે અનુરાધા એ જ બળતરા માં ગળતી ગઈ . એને ગ્લાસ મુકવામાં પણ ડર લાગતો કે પપ્પા કઈ કહેશે તો નહિ ને ? જમવાનું બનાવવામાં થોડું મોડું થાય તો પણ એ ફફડી ઉઠતી કે કઈ ઠપકો તો સાંભળવો નહીં પડે ને ? '
ને એ જ ચિંતા માં એ જમવાનું બનાવવાનું ભૂલવા લાગી ...એ ડર માં રહેતી...ને કેટલું મીઠું મરચું નાખવું એ ભૂલી જતી.....ને રસોઈ બેસ્વાદ બનતી જ ગઈ ને એ પોતે હડકાનો માળો બનતી ગઈ . એ આવી ત્યારે એ 54 કિલોની હતી ...હવે લગ્ન બાદ એ 42 કિલોની રહી ગઈ . લગબ બાદ તો શરીર વધતું જાય પણ અહીંયા તો ઊલટું થયું....એ સતત ગળતી જ જતી હતી . એ જયારે બેજીવ થઈ ત્યારે પણ એ ત્રાસ બંદ ન થયો.....
એણે દીકરાને જન્મ આપ્યો... પણ એનું મો જોવા પણ સમીરના પપ્પા ન આવ્યા . બધાં આવ્યા પણ એ નહીં . સમીર એ ભુલ્યો નહિ પણ પોતાની ફરજ સમજી એ ત્યાં જ રહી ગયો પણ એ દિવસે એની સહનશક્તિ ની હદ વટી ગઈ .
એ દિવસે બપોરે અનુરાધા એનાં દીકરા વંશ ને પેટ ભરાવતી હતી...પણ એ ટબુડીયો શાંત નોહતો થતો .એ બસ રડતો જ જતો હતો . અનુરાધા એ એને ખોયામાં નાખ્યો . પણ એનું રડવાનું બંદ ન થયું....એ બસ રડતો જ રહ્યો...જે સમીરના પપ્પા માટે માથાના દુઃખાવા સમાન લાગ્યું ને અચાનક એ ઉભા થયા ને કોઈ કંઈ સમજે એ પેહલા તો એ બાળકને ઊંચકી ને બહાર શેરીમાં ફંગોળી દીધું.....
' મા.....' કહેતી અનુરાધા તો રાડ પાડી ગઈ પણ એ ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ . થોડી વારે એ દીકરા ને લેવા ગઈ પણ એના હાથમાં તો માત્ર ખોખું જ હાથમાં આવ્યું .
એ દિવસે જ્યારે સમીર ઘરે આવ્યો...ત્યારે એના હાથમાં જ્યારે વંશનું શરીર આવ્યું ત્યારે એનો ગુસ્સો તો ફાટી જ પડ્યો હતો...પણ એ કઈ બોલ્યા વગર એનાં દીકરા ને પોતાનાં જ હાથે દફનાવી આવ્યો . એ જેવો ઘરે આવ્યો...
એણે તરત જ અનુરાધા ને કહ્યું..., ' સામાન પેક કર ! માત્ર આપણો સામાન જ લેજે ...આ ઘરનું એક તણખલું પણ ન આવવું જોઈએ ...'
' સારું ! '
ને એ દિવસે અનુરાધા ને સમીર કોઈને કઈ પણ કહ્યા વિના એ બન્ને ઘર છોડી નીકળી ગયા .
એને આજ દસ વર્ષ થઈ ગયા. આ રીંકલ પણ સાત વર્ષ ની થઇ ગઇ . હવે એ વાત ને એ બન્ને યાદ પણ કરતા નથી . જે થયું એમા એ બન્ને માંથી કોઈનો વાંક નોહતો...પણ હવે ...એ બધું જતું રહ્યું હતું ...હવે એ માત્ર રીંકલ નાં ભવિષ્ય માટે જ બન્ને મહેનત કરી રહયા હતા .
હવે તો એ બને એ વિશે વિચારતા પણ નોહતા ...એ બન્ને એ બનાવ ને ભૂલવા મથતા હતા ને એમાં મદદ કરતી હતી રીંકલ...
એ છોકરી સાથે એ ભૂતકાળને ભૂલી આગળ વધી રહયા હતા . ત્યાં જ આ કાગળ આવ્યો ને જેમ જાપાન ના હીરોશીમાં પર બૉમ્બ ઝીંકાયો એમ જ આ કાગળ આ પરિવાર માં આવી ફાટ્યો....
હવે સમીર કંઈક સુનમુન થઈ ગયો . એ જેને ભૂલવા માંગતો હતો એ જ ભૂતકાળ , એ જ ઘર એની સામે આવી ખડા થઈ ગયા હતા . પણ હવે શું !!! ?????
એ વિચારતો થઈ ગયો . શુ કરું ? શુ કરું ? નાં વિચારો એને આવતાં રહ્યા . ને એ વિચારોમાં વધુ ને વધુ ઊંડો ઉતરતો ...ગયો...ને વધુ ને વધુ...ગૂંચવાતો ગયો . હવે શું ? આ માટે એ વિચારતો રહ્યો....
અચાનક યાદ આવ્યું કે રસોઈ તો બાકી છે ને એ રસોડામાં મંડી પડ્યો....
બીજાં દિવસે ... એ જવા રવાના થયો...ત્યાં.....
' શું નક્કી કર્યું ? '
' શેનું....? '
' એ કાગળનું ! '
' કઈ નહિ ! ક્યાં દૂર છે ? ચાર પાંચ કલાક નો રસ્તો છે ! જઇ આવશું ... !
'' સારું ! સાંજે તૈયારી કરી લેજે ! '
' હો ....'
ને એ જવા બાર નીકળી ગયો .
બીજા દિવસે એ પરિવાર જવા રવાના થઈ ગયો .
ત્રણ કલાકની મુસાફરી બાદ એ જુના ઘરે પોહનચ્યો....
પૂરું ઘર સુનમુન બેઠું હતું . એ પોહચ્યાં .
' આવો....! '
' આવો ! '
' આવો ! '
બે ત્રણ આવકારા મલ્યા પણ એ સમીર ને પીગળાવી ન શક્યા . એમની સામે પણ સમીરે ન જોયું ...
એ સીધો દાદીમા પાસે પોગી ગયો...
' દાદી ! '
કંઈક કળાતું હોય એમ નેહવું માંડી એ દોહી જોવા લાગી ને જ્યારે એ સમીર ને ઓળખ્યો ...
' આવી ગ્યો મારો ભાથી ...! '
' હા , દાદી ...! '
' મને ખબર જ હતી...કે તું આવીશ જ ! '
' આવું તો ખરો જ ને ! '
' મારો દીકરો...બસ તું જ ધ્યાન રાખે છે મારા ભાથી.... તું જ છે અમારો આધાર ....!
ને એ ક્યાંય સુધી બોલતા રહયા !
સવાર થયું ત્યાં એમનો આત્મા પણ બોલતો બંદ થઈ ગયો....ને એ દિવસે સમીર બધી અંત્યેષ્ટિ પુરી કરી કંઈ બોલ્યા વિના ચાલતો થયો...
' સમીર ! '
' .....! '
' સમીર....બેટા.... ! '
સમીરના પિતા આજીજી કરતા રહ્યા .....
પણ સમીર અને અનુરાધા એમની રીંકલ ને લઈ રવાના થઈ ગયા . કદાચ એ ' બેટા ' કહેવાનો અધિકાર ખોઈ બેઠા હતા !
લેખક શ્રી -- મહેશ ગોહિલ
No comments:
Post a Comment